શાળાના શિક્ષકો શાળાના બાળકોને આર્થિક મદદ તો કરે જ છે પરંતુ આર્થિક રીતે સદ્ધર વ્યક્તિઓની મુલાકાત કરી તેમની શાળાની પરિસ્થિતિથી વાકેફ કરી સહાય મેળવવાનો પ્રયત્ન કરતા રહે છે. શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ પટેલ પણ વેકેશન દરમ્યાન તેમની જ સોસાયટીમાં રહેતા તેમના મિત્ર અને સેવાભાવી શ્રી વિજયભાઈ જાદવને મળ્યા અને તેમને શાળાના પર્યાવરણથી માહિતગાર કર્યા તેમને શાળાની પરિસ્થિતિ જાણી તરત જ શાળાના બાળકોને મદદ કરવા તૈયાર થઇ ગયા. તેઓશ્રી હાલ સયાજીપુરા, વડોદરાના રહેવાસી છે. તેઓશ્રી એ ધોરણ ૩ થી ૮ ના ૨૪૦ બાળકોને તમામ વિષયના સાત - સાત ફૂલસ્કેપ ચોપડા અને નિબંધ લખવા માટે ત્રણ - ત્રણ નોટ લાવી આપી. તથા જરૂર પડ્યે ફરીથી મદદ કરવાની પણ તત્પરતા દાખવી.
શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ ઠાકોર તથા સમગ્ર શાળા પરિવાર શ્રી વિજયભાઈ જાદવ (રહે. વડોદરા) ના ખુબ ખૂબ આભારી છીએ. તેમનો અંતરપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તથા આપશ્રી જીવનમાં ઉત્તરોત્તર ખુબ પ્રગતિ કરો એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.