પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com
ઇતિહાસ
આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે “આમરોલ” ગામ.
આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.
મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...
“શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન” વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.
મંગળવાર, 31 જુલાઈ, 2012
રાખડી બનાવવાની પ્રવૃત્તિ
રક્ષાબંધન પર્વની સમજણ
ગુરુવાર, 26 જુલાઈ, 2012
ભૌમિતિક આકારોનો અંક
મંગળવાર, 3 જુલાઈ, 2012
શાળા મહામંત્રી ચૂંટણી વર્ષ ૨૦૧૨-૧૩
તા - ૨૦/૬/૨૦૧૨ ના રોજ શાળામાં પ્રાર્થનામાં મહામંત્રીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. આ વખતની ચૂંટણી પણ દર વર્ષની જેમ પદ્ધતિસર કરવાનું નક્કી કરવામાં આવ્યું. જેના માટેના ઉમેદવારી ફોર્મ પણ બહાર પાળી તા- ૨૧/૬/૨૦૧૨ થી ૨૫/૬/૨૦૧૨ સુધી અમારી શાળાના બનાવેલ ચૂંટણી અધિકારી શ્રીમતી રીનાબેન જે. શાહને જમા કરાવવાનું નક્કી કર્યું.
તા - ૨૬/૬/૨૦૧૨ ના રોજ પ્રાર્થનાસભામાં ચૂંટણી અધિકારી શ્રીમતી રીનાબેન જે. શાહે બધાને જણાવ્યું કે કુલ ૨૨ ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં તેમાંથી ૧૬ ફોર્મ પાછા ખેચાયા બાદ ૬ ઉમેદવાર બાકી રહ્યા. હવે તેમની વચ્ચે ચૂંટણી થશે.તા - ૩૦/૬/૨૦૧૨ ના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી.
૨૬ તારીખ બાદ તો શાળાનો માહોલ તો કઈ વિશેષ જ જોવા મળ્યો. દીવાલો પર બેનરો લટકાવવામાં આવ્યા. ( દરેક બાળકને વિનામુલ્યે શાળાના પ્રિન્ટરમાંથી પ્રચાર માટેના કાગળો કાઢવાની છૂટ હતી) .જોર શોરથી પ્રચાર થવા લાગ્યા. રીશેષમાંથી રમતની બાદબાકી થઇ અને ચૂંટણીએ સ્થાન જમાવ્યું.
તા- ૩૦/૬/૨૦૧૨ (શનિવાર)
અંતે સૌની આતુરતાનો અંત આવ્યો. તા - ૩૦/૬/૨૦૧૨ ની સોનેરી સવાર ઉગી. આજે ગૌરીવ્રતનો પ્રથમ દિવસ પણ હતો. બધા બાળકો પોતાના ઉમેદવારને વોટ આપવા વહેલા વહેલા આવી ગયા જોઈએ કેટલીક ઝલક
સૌ બાળકોની સાથે સાથે શિક્ષકોએ પણ પોતાનો કિંમતી મત આપ્યો.
કુલ મતદારો :- ધોરણ ૬ થી ૮ ના ૧૦૧ બાળકો તથા ૪ શિક્ષકો કુલ ૧૦૫ મત
થયેલ મતદાન :- ૯૦ બાળકો તથા ૪ શિક્ષકો કુલ ૯૪ મત
તા- ૨/૭/૨૦૧૨ ના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. શું પરિણામ આવશે તેની સૌ કોઈ ચિંતા કરતા છુટા પડ્યા આમ આજની ચૂંટણી કામગીરી શાંતિપૂર્વક પૂર્ણ થઇ.
પરિણામ સૌને ચોકાવનારુ હતું. સૌથી વધુ વોટ સરોજબેન કનુભાઈ વાઘેલાને મળ્યા જેથી તેમને "મહામંત્રી" અને બીજા નંબરે અર્જુન મહેશભાઈ પરમારને વધુ વોટ મળ્યા તેથી તેમને "ઉપમહામંત્રી" બનાવવામાં આવ્યા.
આજે બાળકોએ સાચી ચૂંટણી કર્યાનો અને એક નાગરિકની પ્રથમ ફરજ તે વોટ કરવો તે ફરજ પૂરી કર્યાનો સંતોષ માન્યો.
બાળકોમાં જે બાળકો ચૂંટણી અધિકારી બન્યા હતાં અને જે બાળકોએ પોલીસ જવાનો બની ચૂંટણી કામગીરી સંતોષ પૂર્વક પૂર્ણ કરવામાં મદદ કરી હતી તે તથા મતગણતરીમાં જે બાળકોએ ભાગ લીધો હતો તે બાળકોને શાળાના આચાર્યે પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું.