“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

બુધવાર, 27 એપ્રિલ, 2011

એક બાળકીની ડાયરી...

૧૫ જુન:- 
હું અંડાશય સાથે જોડાઈ.
૧૭ જુન:- 
હવે મારા કોસો બનવા લાગ્યા.
૩૦ જુન:-
મને મમ્મીનું ખાવાનું મળ્યું.
૧૫ જુલાઈ:- 
મમ્મી પપ્પાને બોલી તે પપ્પા બનવાના છે. મમ્મી-પપ્પા ખુબ ખુશ થયા.
૧૫  સપ્ટેમ્બર:- 
મારું દિલ ખુ જોર જોરથી ધબકવા લાગ્યું છે.
૧૪ ઓક્ટોબર:- 
મારા નાના પગ, હાથ, માથું અને પેટ દેખાવા લાગ્યા.
૧૩ નવેમ્બર:-
મારા મમ્મી-પપ્પાએ મને મારી નાખી....
મારો ગુનો એટલો જ હતો કે હું "છોકરી" હતી.
કેમ?

શુક્રવાર, 22 એપ્રિલ, 2011

શું આને બાળ મજુરી કહેવાય...?

                          એક દિવસ સવારના સમયે વડોદરા સંગમ ચારરસ્તા જવાનું થયું. હું જ્યાં ઉભા હતો તેની બાજુમાં એક બાળક ગુજરાતીમાં એક ગીત ગાતો હતો, "મારા મનડાના મિત...". અને ડીસો ધોતો હતો. હું તેની પાસે ગયો ને પૂછ્યું "તું અહીં કામ કરે છે?" તે મારી સામે જોઈ હસ્યો અને બોલ્યો, "ના સાહેબ આતો અમારી પોતાની 'દાળવડા' લારી છે. આ મારા પિતા છે, શું હું તમારા માટે દાળવડાની એક ડીશ લાવું?" મે તેના પિતાને પૂછ્યું, "શું તમે જાણો છો કે કોઈ અધિકારી આ જોઈ જશે તો શું થશે?" તેના પિતા કશું કહે તે પહેલા જ તે બાળક બોલ્યો, "મને આ કામ કરવામાં મજા આવે છે..."
                         જો આપને જાપાનની વાત કરતા હોઈએ ત્યારે ત્યાંનો કોઈ બાળક આ રીતે કોઈ ખેતરમાં કે દુકાનમાં પોતાના પિતાને કામમાં મદદ કરતો હોય તો આપને તે વિશે શું કહીશું? "બાદ મજુરી" કે "જોઈને ખુબ આનંદ થયો કે ત્યાં બાળક નાની ઉમરમાં જ કામ કરવાની શરૂઆત કરી દે છે, અને આજ કારણે તે દેશ આટલો આગળ છે." શું કહીશું આપને?
                          શું કોઈ છોકરી પોતાની માતાને ઘર કામમાં, ઘર સાફ કરવામાં કે પશુપાલનમાં મદદ કરે તો શું તે કોઈ ગુનો બને છે? શું કહીશું આપને તેને "બાળમજૂરી??"
                         આ આપણા સરકારની જવાબદારી છે  કે તેવા બાળકોને કામ આપવું જોઈએ  કે જેથી તે પૈસા કમાઈને તેમના પરિવારને મદદ કરી શકે, અને તેમના માટે કોઈ સ્પેશિયલ શાળા બનાવવી જોઈએ કે જેથી તે ગમે ત્યારે ગમે તે સમયે શાળામાં જઈ ભણી શકે..
                          આ વિશે આપણું શું કહેવું છે...? Please આ વિશે વિચારો અને તમારા અભિપ્રાય અમને જરૂર જરૂર થી મોકલાવજો કે આ વિશે આપને શું કરી શકીએ?

હળવા પ્રસંગો...

[1]
એકવાર સંત કબીર ગંગાકિનારે પોતાનો લોટો ધોઈ રહ્યા હતા. એવામાં કેટલાક બ્રાહ્મણો પાણી પીવા માટે ત્યાં પહોંચ્યા. એ લોકોને નદીમાં નમીને ખોબે ખોબે પાણી પીતા જોઈને કબીરે કહ્યું : ‘મહારાજ ! આ લોટો લો અને આરામથી જલ પીઓ.’
કબીરના એ શબ્દો તેમને અપમાનજનક લાગ્યા. એક બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું : ‘તને અક્કલ છે કે નહિ ? તારા અપવિત્ર લોટા વડે તું અમને અભડાવવા ઈચ્છે છે ?’
કબીરે તરત જ હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું : ‘જો આ લોટો ગંગાના પવિત્ર જળનો સ્પર્શ પામ્યા છતાં પવિત્ર થઈ શકતો નથી, તો એમાં સ્નાન કરવાથી લોકોનાં પાપ કઈ રીતે ધોવાઈ જાય છે !’
                  આવી બીજી બોધ કથાઓ વાંચવા માંગતા હોય તો ....

બુધવાર, 20 એપ્રિલ, 2011

એક તરસ્યો કાગડો New Version

એક તરસ્યો કાગડો - પાણી ની શોધમા ઊડતો હતો- રસ્તા મા કુંજો જોયો- કુજો અડધો જ ભરેલો હતો -કાગડા નો વીચાર-બાજુ મા પડેલા પથ્થર લઈ ને કુજા માં નાખ્યા-પાણી નુ ઊપર આવવુ -કાગડો પાણી પી ને ઊડી ગયો

NEW VERSION

                                   એક કાગડો હતો એને ખુબ તરસ લાગી હતી પાણી ની શોધ મા તે ઊડતો હતો રસ્તા મા કુજો જોયો કુજો અડધો જ ભરેલો હતો બાજુ મા પથ્થર નો ઢગલો હતો કાગડાને વિચાર આવ્યો કે આ પથ્થર કુજામા નાખીશ તો પાણી ઉપર આવશે પણ કાગડો અમદાવાદી હતો એ પથ્થર ના ઢગ પર બેસી ગયો અને બુમો પાડવા લાગ્યો કે જાદૂઈ પથ્થર ૫૦ રૂપિયે કીલો પથ્થર ખરીદો અને આ કુજા મા નાખો તમારૂ ભાગ્ય બદલાઈ જશે ત્યાથી પસાર થતા લોકોને એણે પથ્થર વેચ્યા કાગડા એ ૧૦૦૦ રૂપીયાનો ધંધો કરી લીધો અને પાણી ઉપર આવી ગયુ કાગડો ૧૦૦૦ રૂપીયા પણ ઘરે લઈ ગયો અને જતા જતા કુજામાથી પાણી પણ પીતો ગયો…..
બોધ : ધંધા ના ટાઈમે તરસ ભૂખ બધુ ભૂલી જવુ પડે તો જ ધંધો થાય.

ગુરુવાર, 14 એપ્રિલ, 2011

અમારું આ વખણાય....

[01] વડોદરા : લીલો ચેવડો, ભાખરવડી
[02] આણંદ : દાળવડા
[03] ડાકોર : ગોટા
[04] ઉત્તરસંડા : પાપડ, મઠિયા
[05] ખંભાત : હલવાસન, સુતરફેણી
[06] નડિયાદ : ચવાણું
[07] ખેડા : ઘઉંનો પોંક
 વધુ જાણવું છે કે ગુજરાતીઓને ખાવાના શોખીન કેમ કહે છે તો....

સોમવાર, 11 એપ્રિલ, 2011

જબરદસ્ત જોક્સ

લગ્નના એક-બે દિવસ બાદ
પતિ: તો હવે શેની રાહ જોવે છે?
પત્ની: શું તમે એવું ઈચ્છો છો કે હું જતી રહું ?
પતિ: નારે ના! એવું તો હું વિચારી પણ ન શકું.
પત્ની: શું તમે મને પ્રેમ કરો છો?
પતિ: હા! એક નહી હજાર વખત!!
પત્ની: શું તમે મને ક્યારેય દગો આપ્યો છે?
પતિ: ક્યારેય નહી! એતો તું સારી રીતે જાણે છે, છતાં પૂછે છે?
પત્ની: હવે તમે મારા મુખને ચૂમસો ?
પતિ: અરે એના માટે તો હું કોઈપણ તક નહી છોડું.
પત્ની: શું તમે મને મારશો?
પતિ: મને શું હડકાયું કૂતરું કરડ્યું છે તો હું એવું કરીશ.
પત્ની: શું તમે મારા પર વિશ્વાસ કરો છો?
પતિ: હાં!
પત્ની: ઓહ ડાર્લિંગ!!!

લગ્નના
એક વર્ષ બાદના વાર્તાલાપ માટે કૃપા કરી નીચેથી ઉપર વાંચો..

શુક્રવાર, 8 એપ્રિલ, 2011

ડસ્ટરથી ડોક્ટર સુધી

પાત્રપરિચય
બચુ – ૭મા ધોરણનો વિદ્યાર્થી
સાહેબ – બચુના ગુજરાતી શિક્ષક
રામુભાઇ – શાળાનાં પટાવાળા
—–
અચાનક સાહેબ આવ્યાને ભંગ થયો બચુનો આરામ,
‘બચુ, લાવ તારી નોટ, બતાવ ગઈકાલનું ઘરકામ’,
‘આજે તો કર્યું છે, સાહેબ’, કહી બચુએ નોટ આપી,
એક જ નજર મારી સાહેબે એક અલબોટ* આપી.
નોટમાં કંઇક નોંધ કરી, પછી કહે, ‘હાથ ધર તો બચુ’,
હાથ ધરતા ધરતા, બચુની હાલત થઇ ઢચુપચુ;
નાળીયેરવાળો નાળીયેર પર જેવી રીતે કરે પહેલો ઘા,
સાહેબનાં ડસ્ટરનાં એવા ઘાથી બચુને યાદ આવી ગ્યા એનાં બા.
બીજા ઘાથી બચવા માટે, બચુની પ્રતિક્ષિપ્ત ક્રિયા** તો ચાલી,
પણ ડસ્ટરથી બચેલી આંગળીઓ બેંચની તીક્ષ્ણ ખીલીમાં ચાલી.
પછી તો બચુનાં આંસુઓ અને લોહી વચ્ચે જામી વહેવાની હરીફાઈ,
સાહેબે રૂમાલથી બચુની આંગળી દાબીને, બુમ પાડી, “ઓ રામુભાઇ”.
“જરા બચુને દવાખાને લઇ જાઓ, પાટો લગાડી આવો,
પાછો અહી લાવવાની જરૂર નથી ઘેર પહોચાડી આવો”
દફતર, નોટ અને બચુને લઇ રામુભાઇ ડોક્ટરને ત્યાં જવા નીકળ્યા,
રસ્તામાં બચુને પૂછ્યું, ‘સાહેબ તારા પર આટલા બધા કેમ બગડ્યા?’
રડતા રડતા બચુ કહે, ‘લેશન તો મેં કર્યું હતું, તોય ખબર નહિ કાકા!
હા, સાહેબે એક નોંધ કરી છે, પણ મને એકેય અક્ષર નથી વંચાતા’
રામુભાઇએ પણ નોંધ જોઈ, પણ નાં ઉકલ્યો એકેય અક્ષર,
રામુભાઇ વિચારે મનમાં, “લો , આવા ગુજરાતીના સાક્ષર!”
એટલામાં પહોંચી ગયા ડોક્ટરને ત્યાં, અને ડોક્ટરને આંગળી દેખાડી,
ડોક્ટરે દવા લગાવતા પૂછ્યું, “બેટા, ક્યાં આંગળી અથાડી?”
ડસ્ટરથી લઇને નોંધ સુધી, બચુએ આખી વાર્તા કીધી,
નોંધનું Suspense સમજવા ડોક્ટરે નોટ માગી લીધી.
નોટ આપી અને રામુભાઇ કહે,”અમને તો ખ્યાલ આવ્યો નહિ, તમે જ કંઈ પ્રકાશ પાડો.”
ડોક્ટરે નોટ હાથમાં લઇ એક જ નજર નાખી ને કહ્યું,” નોંધમાં લખ્યું છે, “અક્ષર સુધારો”"



*અલબોટ – માર ખાતા પહેલા મળેલી ધમકી વખતે સાંભળેલો શબ્દ
**પ્રતિક્ષિપ્ત ક્રિયા – ચેતાપરાવર્તી ક્રિયા; ‘રિફ્લેક્સ-ઍક્શન’
(કેવો જમાનો આવી ગયો છે, ગુજરાતીને સમજાવવા અંગ્રેજીમાં લખવું પડે છે.
તા.ક. -
“ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે” – મહાત્મા ગાંધી
“તો પછી ડોક્ટર લોકો…”