“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

સોમવાર, 5 સપ્ટેમ્બર, 2011

Teacher's Day - 5th September


आचार्य देवो भव !!!
-----------------------------------------
गुरु भ्रम्हा गुरु विष्णु गुरु देवो महेश्वर: |
गुरु साक्षात परा भ्रम्हा तस्मेय श्री गुरु देव नम: ||
 3rd September
                         ત્રીજી સપ્ટેમ્બરના રોજ પ્રાર્થનામાં આચાર્ય શ્રીએ શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવાની વાત કરી. શ્રીમતી મૃગાબેને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતી નિમિત્તે આખા ભારત દેશમાં ઉજવાતા શિક્ષક દિનની મહત્તા સમજાવી. બાળકોને જરૂરી સૂચનાઓ શ્રી નીલેશભાઈએ આપી અને નામ લખાવવા કહ્યું. બધાની નવાઈ વચ્ચે ૧૫ મિનીટ્સમાંજ બધા બાળકો તૈયાર થઇ ગયા.
                        નીચે મુજબ આયોજનો બનાવી બાળકોને આપી દેવામાં આવ્યા. ચાલો જોઈએ એક નમુનો...
                           

                             
                         




                        
                                         બસ આયોજન મળ્યા પછી તો જાણે એમને પાંખો મળી ગઈ અને સોનેરી સોમવાર ક્યારે આવે તેની રાહ જોવા લાગ્યા અને ખુબ તૈયારી કરવા લાગ્યા.
 5th september
                                   ઇંતેજારીનો અંત આવ્યો અને સોમવારનો સુરજ ઉગી ગયો. બાળકો સરસ તૈયાર થઇ શાળામાં આવી ગયા. જુઓ એક ઝલક
"એક દિવસના શિક્ષકો"
           સવારની સફાઈ-પ્રાર્થનાથી માંડી બપોરની રીસેસ સુધી બાળકોએ ખુબ સરસ રીતે આયોજનબદ્ધ રીતે શિક્ષણ કાર્ય અને સુઆયોજન બદ્ધ વહીવટ કર્યો. મધ્યાહનના સમય દરમ્યાન બાળકોએ હળવો નાસ્તો કર્યો. આજે તેવ્ ખુબ ખુબ ખુશ લાગતા હતાં. જુઓ તેમના મો પર છલકાતી ખુશી...
    



                     સાંજે ૪:૩૦ કલાક બાદ શાળાના પટાંગણમાં એક સભા રૂપે બધા ભેગા થયા. બધા બાળ શિક્ષકોએ પોતાના અભિપ્રાયો આપ્યા દરેક બાળકના મો પર એક જ વાત હતી "હવે ક્યારે આવશે બીજો શિક્ષક દિન...." અંતમાં મીનામંચ અંતર્ગત શ્રીમતી રીનાબેન તરફથી દરેક બાળકને એક એક ભેટ સ્વરૂપ ઇનામ આપવામાં આવ્યું.

                 આજે કશુક કર્યાનો આનંદ માણતા બધા છુટા પડ્યા.